ફાળકોના ઠરાવની આચારસંહિતા અમારી પ્રતિજ્ઞા ખુલ્લા અને આવકાર્ય વાતાવરણ ઉત્તેજીત કરવાનાં હિતમાં, અમે ફાળકો અને જાળવણારાઓ, પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમારા પ્રકલ્પમાં અને સમુદાયમાં સહભાગ આ બધાં માટે, ઉંમર, શરીરાકાર, અપંગત્વ, વંશ, લૈંગિક વૈશિષ્ટ્ય, લૈંગિક અવતાર, અનુભવ, ભણતર, આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીયતા, વ્યક્તિગત અવતાર, જાત, પન્થ અથવા કામસિક પસન્દ, આની પર્વા કર્યા વગર, એક છળમુક્ત અનુભવ રહેશે. અમારા ધોરણો શામેલ વર્તનનાં ઉદાહરણો જે સકારાત્મક વાતાવરણ બનાવવામાં મદદગાર છે: * આવકારક અને સમાવિષ્ટ ભાષાનો ઉપયોગ * જુદા જુદા દ્રષ્ટિકોણો અને અનુભવોનું માન રાખવું * રચનાત્મક ટીકા ખેલદિલીથી સ્વીકારવી * સમુદાયની શ્રેષ્ઠતા માટે ધ્યાન કેન્દ્રિત કરવું * સમુદાયના અન્ય સભ્યો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવી સહભાગીઓ દ્વારા અસ્વીકાર્ય વર્તનનાં ઉદાહરણોમાં શામેલ છે: * લૈંગિક ભાષા અથવા ચિત્રોનો ઉપયોગ અને અનૈચ્છિક કામસિક ધ્યાન અથવા આગોતરી * વિવાદસ્પદ, અપમાનજનક/હિણપત લગાડનારી ટિપ્પણીઓ અને વ્યક્તિગત અથવા કુટનૈતિક હુમલાઓ * જાહેર અથવા ખાનગી પજવણી * સ્પષ્ટ પરવાનગી વિના, ભૌતિક અથવા વિદ્યુતીય સરનામું જેવી, અન્યની ખાનગી માહિતી પ્રકાશિત કરવી * અન્ય વર્તન જેને વ્યાવસાયિક સન્ધર્ભમાં વ્યાજબી રૂપે અયોગ્ય ગણી શકાય અમારી જવાબદારીઓ પ્રકલ્પ જાળવણારાઓ પર સ્વીકાર્ય ધોરણો સ્પષ્ટ કરવાની જવાબદાર છે અને અસ્વીકાર્ય વર્તન પર યોગ્ય, સુનૈતિક અને સુધારાત્મક પગલાં લેવાની અપેક્ષા છે. આ આચાર સંહિતાને સંલગ્ન નહિં એવા ટિપ્પણીઓ, પ્રતિબદ્ધ, મંત્ર, શ્રુતિ સંપાદનો, મુદ્દાઓ અને અન્ય યોગદાનને સુધારવાની, હટાવવાની અથવા નકારવાની, અથવા કોઈ પણ ફાળક જેનુ વર્તન અયોગ્ય, ધોકાદાયક, ગંધાતુ અથવા નુકસાનકારક લાગે, તેમણે તાત્પુર્તુ કે કાયમસ્વરુપી પ્રતિબન્ધિત કરવાનો અધિકાર અને જવાબદારી પ્રક્લ્પ જાળવણારઓની છે. દાયરો આ આચારસંહિતા પ્રકલ્પની બધી જગ્યાએ લાગુ પડે છે, અને ત્યારે પણ લાગુ પડે છે જ્યારે કોઈ વ્યક્તિ, પ્રકલ્પ અથવા તેના સમુદાયને સાર્વજનિક સ્થળો પર રજૂ કરે છે. પ્રકલ્પ અથવા સમુદાયને રજૂ કરવાના ઉદાહરણોમાં શામેલ છે, પ્રકલ્પ-વિજપત્રનાં સરનામાંનો વપરાશ, અધિક્રુત સામાજિક માધ્યમોનાં ખાતા દ્વારા ટપાલ કરવું અથવા વિદ્યુતાભાસીક અને વાસ્તવિક પ્રસંગોમાં નિમાયેલ રજૂઆત કરવી. પ્રક્લ્પી રજૂઆતની પુનરવ્યાખ્યા અને સ્પષ્ટિકરણ પ્રકલ્પ જાળવણારાઓ કરી શકે છે. અમલીકરણ અપમાનજનક, ત્રાસદાયક અથવા અન્યથા અસ્વીકાર્ય વર્તનનાં દાખલા [વિજપત્ર નાખો] પર પ્રકલ્પ કાર્યસંઘને સંપર્ક કરીને જાણ કરી શકાય છે. બધી ફરિયાદોની સમીક્ષા અને તપાસ કરવામાં આવશે અને પરિણામે સંજોગોમાં જરૂરી અને યોગ્ય માનવામાં આવેલ એવુ પ્રત્યુત્તર આપવામાં આવશે. કોઈ પણ ઘટનાના ખબરીનાં સંદર્ભે ગુપ્તતા જાળવવા માટે પ્રકલ્પ કાર્યસંઘ જવાબદાર છે. વિશિષ્ટ અમલીકરણ નીતિઓની વધુ વિગતો અલગથી ટપાલ કરી શકાય છે. પ્રકલ્પ જાળવણારાઓ જે આચારસંહિતાનું પાલન કરતા નથી અથવા તેનું સુશ્રદ્ધેથી અમલીકરણ કરતા નથી તેમને, પ્રકલ્પ નેતૃત્વના સદસ્યઓ નિર્ધારિત, અસ્થાયી અથવા કાયમી પ્રતિકારનો સામનો કરવો પડી શકે છે. શ્રેય આ આચારસંહિતા [ફાળકોનો ઠરાવ] મુખ્યપૃષ્ઠ, આવૃત્તિ ૧.૪, https://www.contributor-covenant.org/version/gu/1/4/code-of-conduct.html પર ઉપલબ્ધ છે આચારસંહિતા વિશેના સામાન્ય પ્રશ્નોના જવાબો માટે, જુઓ https://www.contributor-covenant.org/faq